મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત


SHARE







માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત

માળીયા (મી) શહેરમાં 62.62 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવેલ છે અને તેમાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તેની તપાસ માટે માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તૈયબભાઈ જુસબભાઈ જેડા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે. કે, માળીયા (મી)માં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. અને ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં અત્યારથી જ ઠેર ઠેર પોપડા પડે છે, દરવાજા બંધ થતાં નથી તેમજ બિલ્ડીંગનું માર્ચ 2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના કામો આજની તારીખે પણ ચાલી રહ્યા છે. અને આ બિલ્ડિંગમાં દરવાજા બંધ થતા નથી જેથી નાના મોટા સામાનની ત્યાંથી ચોરી પણ કરવામાં આવેલ છે.






Latest News