ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત


SHARE













માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત

માળીયા (મી) શહેરમાં 62.62 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવેલ છે અને તેમાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તેની તપાસ માટે માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તૈયબભાઈ જુસબભાઈ જેડા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે. કે, માળીયા (મી)માં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. અને ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં અત્યારથી જ ઠેર ઠેર પોપડા પડે છે, દરવાજા બંધ થતાં નથી તેમજ બિલ્ડીંગનું માર્ચ 2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના કામો આજની તારીખે પણ ચાલી રહ્યા છે. અને આ બિલ્ડિંગમાં દરવાજા બંધ થતા નથી જેથી નાના મોટા સામાનની ત્યાંથી ચોરી પણ કરવામાં આવેલ છે.






Latest News