મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે ખેતરે દવાનો છંટકાવ કર્યા બાદ ભોજન લેનારા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં


SHARE







મોરબીના કોયલી ગામે ખેતરે દવાનો છંટકાવ કર્યા બાદ ભોજન લેનારા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં

મોરબીના કોયલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કર્યા બાદ દવા વાળા હાથે યુવાને ભોજન કર્યું હતું જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે લીંબાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લાલજીભાઈ નાગરિયાભાઈ કનેરા (30) વાળાને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.પી.ઝાલા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાન વાડીએ પાકમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યાર બાદ ઝેરી દવા વાળા હાથે તેને ભોજન કર્યું હતું જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા છે

પરણીતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા સંગીતાબેન પ્રતાપભાઈ દેલવાણીયા નામના ૩૫ વર્ષના મહિલાને તેઓના ઘરે તેમના પતિએ માર મારતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ બી ડિવિઝન પોલીસે જણાવેલ છે,આ કેસની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં વાંકાનેર લક્ષ્મીપરામાં રહેતા અમીષભાઈ અમરેલીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેની નોંધ થતા સ્ટાફના એચ.એમ.મકવાણા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

જાંબુડીયા મારામારી

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મોરબી નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રવિભાઇ કરશનભાઈ ડાભી નામના ૫૮ વર્ષના આધેડને ઇજા થતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે પીપળી નજીક આવેલ ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા બળદેવભાઈ લાભુભાઈ નામના ૩૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે નોંધ કરી તપાસ કરી હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના બગથળા અને બીલીયા ગામ વચ્ચે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં અતુલભ વસતાભાઈ દેલવાણીયા ઉમર 11 રહે મોડ પર નામના બાળકને ઈજા તથા તેને પણ અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News