મોરબી મહાપાલિકાની ટીમે રવાપર રોડ-અવની ચોકડી પાસેથી દબાણ હટાવ્યા
મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા
SHARE
મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો યોજાયા
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા માતૃભાષા ગૌરવદિન નિમિત્તે શેરીનાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમાજમાં માતૃભાષાનું મહત્વ વધે, તેનું ગૌરવ જળવાય, માતૃભાષાની સમૃદ્ધિ વધે અને સમાજમાં માતૃભાષાના માધ્યમથી શિક્ષણની સમજણ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પટેલનગર, અવધ સોસાયટી, અવની ચોકડી, ઉમા ટાઉનશીપ (સામા કાંઠે), ચંદ્રેશનગર જેવા સાત વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા શેરીનાટકો કર્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય, નાટક, સમૂહગીત તથા તળપદી ભાષામાં સંચાલન દ્વારા માતૃભાષાના મહત્વને ઉજાગર કર્યું હતું અને આ કાર્યક્રમમાં ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને પ્રચાર–પ્રસારથી લઈને માઈક, લાઈટ, ખુરશીઓ, પાથરણા જેવી પ્રાથમિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં વિદ્યાલયના વાલીઓએ જહેમત ઉઠાવી હતી.