મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલીમનું પ્રદર્શન યોજાયું


SHARE







ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલીમનું પ્રદર્શન યોજાયું

ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલિમનું પ્રદર્શના પોલીસ સ્ટેશન ખાતે યોજાયું હતું અને પોલીસ પ્રજાના મિત્ર, સુરક્ષા અને સલામતી તેમજ ટ્રાફિક સહિતનિ બાબતોનું માર્ગદર્શન અધિકારીઓએ દ્વારા આપવામાં આવ્યું હતું અને ત્યારે બહેનોને લીધેલ સ્વરક્ષણની તાલીમમાં જુડો, કરાટે વિગેરે શીખવવમાં આવ્યું હતું તેને દીકરીઓએ લોકોની સમક્ષ રજૂ કર્યું હતું.

ટંકારામાં આવેલ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે 215 અને સરદાર વલ્લભભાઈ પટેલ શાળાની 20 વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. જેનું પ્રદર્શન ટંકારા પોલીસ સ્ટેશનના પટાંગણમાં રાખવામા આવ્યું હતું ત્યારે SPC, NCC ના બાળકોએ પરેડ પણ કરી હતી. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ ડિવાયએસપી સમીર સારડા, ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા, વાંકાનેર તાલુકા પીઆઈ ડી.વી. ખરાડી, વાંકાનેર સિટી પીઆઈ એચ.એ. જાડેજા, મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઈ એચ.વી. ધેલા, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, સદસ્ય સલિમ અબ્રાણી, બાલાશ્રમ આશ્રમના પ્રભુભાઈ કડીવાર, ઓરપેટ કન્યા વિદ્યાલયના ગોપાલભાઈ પટેલ, ઉધોગપતિ અશ્વિનભાઈ ભટાસણા સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે પોલીસે બાલ્યાવસ્થામાં મા-બાપ અને પરિવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માંગણી મુજબ સ્કૂલબેગ અને શૈક્ષણિક કિટ અર્પણ કરી હતી.






Latest News