ટંકારા તાલુકાની બે શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલ સ્વરક્ષણની તાલીમનું પ્રદર્શન યોજાયું
વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી
SHARE






વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહના ઘરે દીકરાનો જન્મ થતાં જુનપીર બાવાની દરગાહએ ડી.એસ.જાડેજાએ માનતા પૂરી કરી
વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા)એ તા.૫-૩-૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે “એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે જુનપીર બાવાએ તમારી દુઆ કબૂલ કરી” અને જુનપીર બાવાએ તેમની દુઆ કબુલ કરીને મહારાણા કેશરીદેવસિંહ ઝાલાના ઘરે તા. ૧૬-૨-૨૫ ને રવિવારે રાજકુંવરનો જન્મ થયો છે જેથી તે માનતા પૂરી કરવા માટે જુનપીર બાવાની દરગાહ ઉપર આવ્યા હતા અને ચાદર પોસી કરીને રાજ કુંવરના હકકમાં દુઆઓ માંગી હતી. આ જુનપીર બાવાની દરગાહ ઉપર માનતા પૂરી કરવા આવ્યા હતા ત્યારે મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, ડી.એસ. જાડેજા, ક્રિપાલસિંહ, ઝુલ્ફીકાર શેરસીયા, ખીજડીયા સરપંચ ગુલાબભાઈ, મહમદ હનીફ અને ખીજડીયા ગામના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા.


