મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ


SHARE











મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા જીલ્લાના ખેતીવાડી અધિકારી અને તાત્કાલીક સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળે તે માટે યોગ્ય કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલમાં જ્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લામાં છે ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોવા અંગેનું તેના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને તેઓએ મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલીક સર્વે કરવા માટે આદેશ કર્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે પણ યોગ્ય કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે






Latest News