માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ


SHARE

















મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા જીલ્લાના ખેતીવાડી અધિકારી અને તાત્કાલીક સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળે તે માટે યોગ્ય કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલમાં જ્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લામાં છે ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોવા અંગેનું તેના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને તેઓએ મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલીક સર્વે કરવા માટે આદેશ કર્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે પણ યોગ્ય કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે




Latest News