માળીયા(મી) તાલુકામાં ૨૭ કરોડના રોડ રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ
SHARE
મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા જીલ્લાના ખેતીવાડી અધિકારી અને તાત્કાલીક સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળે તે માટે યોગ્ય કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલમાં જ્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લામાં છે ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોવા અંગેનું તેના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને તેઓએ મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલીક સર્વે કરવા માટે આદેશ કર્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે પણ યોગ્ય કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે