ભૂત, પ્રેત અને ચૂડેલ બધુ જ હંબક છે: ટંકારામાં વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારથી ચેતો કાર્યક્રમ યોજાયો
મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
SHARE
મોરબીના રાજપર રોડે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના રાજપર રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરન પારાપેટના સળિયા સાથે કોઈ અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી કરીને તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ મામદેવના મંદિર પાસે પારાપેટના સળિયા સાથે અજાણ્યા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની તપાસ હેડ કોન્સટેબલ. એન.એસ.નેસવાણીયા કરી રહ્યા છે અને મૃતક યુવાન અંદાજે ૨૬ વર્ષનો છે અને શ્યામવર્ણનો છે અને રાખોડી રંગનું બનીયાન અને કોફી રંગની ચડી પહેરી છે. આ યુવાનના વાલી વારસ અંગે જાણતા હોય તેઓને મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.