મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે
SHARE
મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે
મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર આગામી તા. ૧ માર્ચને શનિવારે બપોરે ૨ કલાકે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવશે ત્યારે ધર્મગુરુ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો હાજર રહેશે.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નીર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ, (દૂધરેજધામ) હાજર રહેશે તેમજ ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ (દૂધઈધામ) અને બંસીદાસ બાપુ મેસરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ બાબુભાઇ દેસાઇ, વિનોદભાઇ ચાવડા, પરસોતમભાઇ રૂપાલા, ચંદુભાઈ શિહોરા, કેશરિદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને જયંતિભાઈ કવાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.