મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ
SHARE
મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ
મોરબીમાં ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેનની અધ્યક્ષતામાં જનજાગરણ અર્થે મિટીંગ યોજાઇ હતી.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીની સૂચનાથી મોરબી જિલ્લા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહિર દ્વારા જન જાગરણ અને સદસ્યતા અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી,ડો.દિનેશભાઇ પરમાર મોરબી જિલ્લા પ્રભારી, કરણદેવસિંહ જાડેજા મોરબી જીલ્લા પ્રભારી, પ્રવીણભાઈ મયડ મોરબી જિલ્લા ઓબીસી પ્રભારી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ઉપ્રમુખ મુકેશ ગઢવી, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ ઓબીસી ઉપ્રમુખ એલ.એમ કંજારીયા, માળીયા શહેર પ્રમુખ કૉંગ્રેસ ઇકબાલભાઈ જેડા, જિલ્લા કૉંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજુભાઇ જિલરીયા, જિલ્લા કૉંગ્રેસ ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા કૉંગ્રેસ ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભરવાડિયા, શહેર કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, હળવદ તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ જીલુભાઈ પરમાર, ટંકારા તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, માળિયા તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ પ્રભુભાઈ નાટડા, મોરબી તાલુકા કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ ભરવાડ અને માળીયા શહેર કૉંગ્રેસ ઓબીસી પ્રમુખ નાઝીરભાઈ જેડા સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.