મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ
મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું
SHARE
મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું
મોરબી મહાપાલિકા દ્વારા તૂટેલી ગટરોને રીપેર કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, ગટર તૂટેલ હોવાથી કે પછી ઢાંકણા ન હોવાથી ત્યની વખત ગૌવંશ અને ગૌમાતા ગટરમાં પડે છે આવી જ રીતે મોરબીમાં લખધીરવાસના ગેટ પાસે જે ઉકડા ઢગલા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી અવાર નવાર ગૌવંશ અને ગાય તેમાં પડે છે જેથી આ ગટર માટે પાલિકા અને મહાપાલિકામાં અનેક રજૂઆતો કરેલ છે તો પણ ગટરના ઢાંકણા રીપેર કરવામાં આવતા નથી જેથી કરીને ગૌવંશ તેમ પડે છે તેવી જ રીતે વધુ એક વખત ગૌવંશ ગટરમાં પડતાં યદુનંદન ગૌશાળા અને મહાપાલિકાને જાણ કરી હતી જેથી કરીને જીસીબી બોલાવીને ગટરમાંથી ગૌવંશને બહાર કાઢવામાં આવેલ છે જો કે, ભવિષ્યમાં આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડી જાય અને સુરત જેવી ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાને બદલે વહેલી તકે કચરો દૂર કરીને ત્યાં ગટરના ઢાંકણા કરવામાં આવે તેવી મોરબી સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે