મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં 13.40 લાખના મુદામાલની ચોરીના ગુનામાં પકડાયેલા દંપતિ સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં 13.40 લાખના મુદામાલની ચોરીના ગુનામાં પકડાયેલા દંપતિ સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીના આધેડે મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખેલ હતું તે મકાનના માલિકને તેનું મકાન પાડીને નવું બનાવવું હતું જેથી મકાન ખાલી કરવા કહ્યું હતું જેથી આધેડે મકાન ખાલી કરી આપ્યું હતું જો કે, ભાડાના મકાનમાં તેઓના રોકડા રૂપિયા 3.20 લાખ તથા 14.7 તોલા સોનાના દાગીના ત્યાં પડ્યા હતા જે કુલ મળીને 13.40 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે દંપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ એ ડિવિજનમાં નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, તેઓએ હાઉસિંગ બોર્ડમાં પોતાના મકાનનું નવેસરથી બાંધકામ કર્યું હોય તેના ઘરની સામેના ભાગમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાનના માલિકે મકાન ખાલી કરવા માટે આધેડને કહ્યું હતું જેથી ફરીયાદીના મકાનનું 100 ટકા કામ પૂર્ણ થયું ન હતું તેમ છતાં પણ કેટલોક માલસામાન તેમણે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કર્યો હતો પરંતુ રોકડા રૂપિયા અને દાગીના જે થેલામાં હતા તે ભાડે રાખેલા મકાનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મકાન ખાલી કર્યુ ત્યારે આ કિંમતી માલ સામાન ત્યાંથી લીધેલ ન હતો.

દરમ્યાન ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આધેડે ભાડે રાખ્યું હતું તે મકાન પાડવા માટે આવેલા મજૂરો દ્વારા મકાન પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં થેલામાં પડેલ 3.20 લાખ રોકડા તથા 14.7 તોલા સોનાના દાગીના જેની કિંમત 10,20 લાખ રૂપિયા આમ કુલ મળીને 13.40 લાખ રૂપિયાના મુદ્દામાલની મજૂરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં રાકેશભાઇ વાગુભાઇ નીનામા તેની પત્ની જયોતિબેન રાકેશભાઇ નીનામા અને મુકેશભાઇ વાગુભાઇ નીનામા રહે. બધા જ હાલ મોરબી મુળ એમપી વાળાની ધરપકડ કરેલ હતી અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ સહિતનો તમામ મુદામાલ રિકવર કર્યો હતો અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News