ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર


SHARE













મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાના તથા મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે પણ છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને કેટલાક આગેવાનો દ્વારા જે તે સમયે સેન્સ લેવામાં આવી ત્યારે પ્રમુખ પદ માટે થઈને દાવેદારી પણ નોંધાવી હતી પરંતુ ગુરુવારે જ્યારે પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય તે પ્રકારે પ્રદેશ ભાજપ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદે વર્ષોથી સંઘની વિચારધારા સાથે જોડાયેલા જયંતીભાઈ રાજકોટિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે

ગુજરાત પદેશ ભાજપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યું છે તેની સત્તાવાર જાહેરાત ગુરુવારે સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હરભોલે હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના દિલીપભાઈ પટેલને જે જવાબદારી સોંપવામાંથી આવી હતી તેઓએ હાજર રહીને કરી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજ્યના માજી મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે હું ધોરણ 5 થી સંઘની વિચારધારા સાથે જોડાયેલો હતો અને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાજપ માટે કામગીરી કરીએ છીએ એટલે અમારા માટે કશું જ નવું નથી અને આગામી સમયમાં હું મને મળેલી જવાબદારી સારામાં સારી રીતે નિભાવ માટેના પ્રયત્ન કરીશ અને અનેક કાર્યકર્તાઓના તપોબળના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આવડી મોટી પાર્ટી બની છે ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવે તે પ્રકારની કામગીરી ગોઠવવાની તેઓએ તૈયારી દર્શાવી હતી અને વ્યક્તિએ વ્યક્તિએ વિચાર જુદા હોય શકે પરંતુ એક અવાજથી ભાજપમાં જયારે કામ કરે છે ત્યારે કોઈ જુથ્થવાદ નથી હોતો અને મોરબી જીલ્લામાં હવે જુથ્થવાદ જેવુ લાગશે પણ નહીં






Latest News