મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર


SHARE







મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાના તથા મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે પણ છેલ્લા ઘણા સમયથી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને કેટલાક આગેવાનો દ્વારા જે તે સમયે સેન્સ લેવામાં આવી ત્યારે પ્રમુખ પદ માટે થઈને દાવેદારી પણ નોંધાવી હતી પરંતુ ગુરુવારે જ્યારે પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય તે પ્રકારે પ્રદેશ ભાજપ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદે વર્ષોથી સંઘની વિચારધારા સાથે જોડાયેલા જયંતીભાઈ રાજકોટિયા ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે

ગુજરાત પદેશ ભાજપ દ્વારા જે નામ જાહેર કરવામાં આવ્યું છે તેની સત્તાવાર જાહેરાત ગુરુવારે સાંજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હરભોલે હોલ ખાતે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની ચૂંટણીના ચૂંટણી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના દિલીપભાઈ પટેલને જે જવાબદારી સોંપવામાંથી આવી હતી તેઓએ હાજર રહીને કરી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજ્યના માજી મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા તેમજ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારોને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે હું ધોરણ 5 થી સંઘની વિચારધારા સાથે જોડાયેલો હતો અને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે છેલ્લા ઘણા વર્ષોથી અમે ભાજપ માટે કામગીરી કરીએ છીએ એટલે અમારા માટે કશું જ નવું નથી અને આગામી સમયમાં હું મને મળેલી જવાબદારી સારામાં સારી રીતે નિભાવ માટેના પ્રયત્ન કરીશ અને અનેક કાર્યકર્તાઓના તપોબળના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આવડી મોટી પાર્ટી બની છે ત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવે તે પ્રકારની કામગીરી ગોઠવવાની તેઓએ તૈયારી દર્શાવી હતી અને વ્યક્તિએ વ્યક્તિએ વિચાર જુદા હોય શકે પરંતુ એક અવાજથી ભાજપમાં જયારે કામ કરે છે ત્યારે કોઈ જુથ્થવાદ નથી હોતો અને મોરબી જીલ્લામાં હવે જુથ્થવાદ જેવુ લાગશે પણ નહીં






Latest News