મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત


SHARE













ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત

ટંકારાના મીતાણા પાસે આવેલ પ્રભુનગર ગામે રહેતા માલધારીની પાંચ થી છ ભેંસને વીજ શોક લાગતાં તેનું મોત નીપજયા છે જેથી કરીને માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી મોરબીના માલધારી આગેવાન કરસનભાઈ એમ. ભરવાડ દ્વારા પશુપાલન મંત્રીને રજૂઆત કરીને માંગ કરવામાં આવે છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાના પ્રભુનગર ગામે રહેતા માલધારી કરમણભાઈ ગાડુભાઇ મુંધવા ભરવાડ જેઓની દુધાળા પશુઓ ભેંસ પાંચ થી છ જે બે થી ચાર દિવસ પહેલા વહેતા પાણીના ખાડામાં ચાલુ વીજ પ્રવાહના કારણે વીજ શોક લાગતા મોત નીપજયું હતું જેથી કરીને દુધાળા પશુ વીજ શોક લાગવાના કારણે મૃત્યુ પામતા ગરીબ માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે આ માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. જેથી હાલમાં રાજ્યના પશુપાલન મંત્રી તેમજ મુખ્યમંત્રીને સહાય ચૂકવવા માલધારી સમાજના આગેવાન કરસનભાઈ ભરવાડે રજૂઆત કરેલ છે અને આ માલધારી પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે.

મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માળિયા(મિં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ આગમી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.






Latest News