મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત


SHARE













ટંકારા તાલુકામાં માલધારીની ૬ ભેંસોના વીજશોકથી મોત થતાં સહાય ચૂકવવા પશુપાલન મંત્રીને રજૂઆત

ટંકારાના મીતાણા પાસે આવેલ પ્રભુનગર ગામે રહેતા માલધારીની પાંચ થી છ ભેંસને વીજ શોક લાગતાં તેનું મોત નીપજયા છે જેથી કરીને માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે તેવી મોરબીના માલધારી આગેવાન કરસનભાઈ એમ. ભરવાડ દ્વારા પશુપાલન મંત્રીને રજૂઆત કરીને માંગ કરવામાં આવે છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણાના પ્રભુનગર ગામે રહેતા માલધારી કરમણભાઈ ગાડુભાઇ મુંધવા ભરવાડ જેઓની દુધાળા પશુઓ ભેંસ પાંચ થી છ જે બે થી ચાર દિવસ પહેલા વહેતા પાણીના ખાડામાં ચાલુ વીજ પ્રવાહના કારણે વીજ શોક લાગતા મોત નીપજયું હતું જેથી કરીને દુધાળા પશુ વીજ શોક લાગવાના કારણે મૃત્યુ પામતા ગરીબ માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે ત્યારે આ માલધારી પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે જરૂરી છે. જેથી હાલમાં રાજ્યના પશુપાલન મંત્રી તેમજ મુખ્યમંત્રીને સહાય ચૂકવવા માલધારી સમાજના આગેવાન કરસનભાઈ ભરવાડે રજૂઆત કરેલ છે અને આ માલધારી પરિવારને આર્થિક સહાય આપવામાં આવે તે જરૂરી છે.

મોટીબરાર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

માળિયા(મિં.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ઈકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને શાળાના પ્રાંગણમા વિવિધ ફુલછોડ અને ફળોના રોપા વાવ્યા હતા. સાથે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયાના જણાવ્યા મુજબ આગમી સમયમાં શાળામાં કિચન ગાર્ડન બનાવવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ શાકભાજીના બીજ લાવશે અને શાળામાં રોપવામાં આવશે.








Latest News