મોરબીના સ્વ.નૌતમલાલ રેવાશંકર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર દ્રારા.જાણીતા સુંદરકાંડ પાઠના આરાધક અશ્વિનભાઇ પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.૨૮ ને રવિવારના રોજ રાત્રીના ૮:૩૦ કલાકે ચામુંડા કૃપા બ્લોક નંબર ૭૯ જનકપુરી સોસાયટી, ફર્ન હોટલની બાજુમાં, માળીયા-કંડલા હાઈવે, મહેન્દ્રનગર મોરબી-૨ ખાતે સુંદરકાંડના પાઠ રાખવામાં આવેલ છે.વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૦૧૬૭ ૧૧૧૪૩ 90167 ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવીને સુંદરકાંડના પાઠ માટે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવેલ છે.
નાટક યોજાશે
ધાર્મિક કાર્યોના લાભાર્થે મોરબીના કેશવનગર (નવું જીવાપર)ગામે આગામી તા.૨૨-૧૧ ને સોમવારે રાત્રે ૯ વાગે દેશભક્તિનું નાટક 'રાણા પ્રતાપ' યાને 'મેવાડી તલવાર' અને સાથે પેટ પકડાવીને હસાવતું કોમીક 'ધનજીભાઈનું ધાંધલ' રજૂ કરવાનું આયોજન 'કેશવનગર યુવક મંડળ અને ગામ સમસ્ત તરફથી કરાયું હોય સેવાકાર્ય માટે તેમજ ઐતિહાસીક નાટક નિહાળવા સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.