ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી


SHARE













ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે રહીને ખેત મજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના યુવાનના રૂા.૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી થવા પામી હોય ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાનપુર તાલુકાના બોકડીયા પીપલપાણી ફળિયુ વિસ્તારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામે શિવલાલ ચકુભાઈ લો ની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં દીલાભાઈ શાંતિયાભાઇ બુંબડીયા નામના યુવાનનું રૂા.૩૫ હજારની કિંમતનું બાઈક નંબર એમપી ૬૯ એમઇ ૩૪૭૪ ગત તા.૫-૧૧ ના નવ વાગ્યાથી તા.૬ ના ચાર વાગ્યા દરમિયાનમાં હીરાપર ગામેથી ચોરાઈ ગયું હોય તેણે ઘરમેળે આજુબાજુમાં તપાસ કરી હતી તેની સાથે અન્ય ખેત મજૂરીનું કામ કરતા તેના મિત્રોમાં પણ તેણે બાઇકની શોધખોળ કરી હતી છતાં પણ બાઈકનો પત્તો ન લાગતાં અંતે દીલાભાઇ બુંબળીયાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.એન.બાર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હર્ષાબેન કિશોરભાઇ પરમાર જાતે દલવાડી નામની ૧૯ વર્ષીય યુવતી તા.૨૦-૧૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાના ભાઈના બાઈકની પાછળ બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા હર્ષાબેન પરમારને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જયારે હળવદ તાલુકાના માંગરોલીયા ગામના રહેવાસી અમુભાઈ ગીરીરાજભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને તેના ઘેર તેના પત્ની દ્વારા માર મારવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News