વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત


SHARE







માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત

માળીયા શહેરમાં પાલિકાની જગ્યા ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદે દુકાનોને તંત્ર દ્વારા ડીમોલેશન કરીને તોડી પાડવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ કાચી પાકી 44 દુકાનોને તોડી નાખવામાં આવેલ છે જેથી આ દુકાન આધારે ગુજરાન ચલાવતા પરિવારોની રોજગારી છીનવાઇ જતાં તે નાના ધંધાર્થીઓ માટે વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી યુવા કોંગ્રેસના મંત્રીએ સીએમને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઇકબાલભાઈ સુભાનભાઈ સંધવાણીએ હાલમાં સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તા 13 માર્ચના રોજ માળિયા મિયાણા નગરપાલિકા વિસ્તાર વાગડીયા ગેટ પાસે સરકારી જમીન પર અંદાજીત ૪૪ જેટલી દુકાનનું ડિમોલેશન કરીને તેને તોડી પાડવામાં આવેલ છે અને દબાણ દુર કરાયા છે પરંતુ જે દબાણ કરનાર હતા તેમનુ ગુજરાન તે દુકાનના વ્યવસાય પર ચાલતુ હતું અને દબાણ દુર કરવાના લીધે તેની રોજી રોટી છીનવાઇ ગયેલ છે જેથી પોતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયેલ છે ત્યારે જે નાના ધંધાર્થીઓની દુકાનો તોડવામાં આવેલ છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામા આવે અને પાલિકા દ્રારા દુકાનો બનાવીને ભાડેથી આપવામા આવે અથવા તો વ્યવસાયીક હેતુ માટે જમીન ભાડેથી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News