મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
SHARE






મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
મોરબી શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા મા-બાપ વિહોણી તેમજ નિરાધાર દિકરીઓનો પ્રથમ સમૂહલગ્નનું આવતી કાલે ફાગણ વદ-૨ તા. ૧૬-૩-૨૫ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીના ગ્રાઉન્ડમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા તા. ૧૬ ને રવિવારના રોજ પ્રથમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મા-બાપ વિહોણી તેમજ નિરાધાર ૫ દિકરીઓનો પ્રભુતામાં પગલાં પાડશે.
આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી દીકરીઓને કરીયાવરમાં સોના તેમજ ચાંદીના આભૂષણોથી લઈ જીવનજરૂરીઆતની ૧૧૧ ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવશે.આ સમૂહલગ્નમાં પાંચ યુગલો લગ્નગ્રંથીએ જોડાશે.જેને સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આશીવચન પાઠવશે.આ સમૂહલગ્નને સફળ બનાવવા ભુવા;પ્રદીપભાઈ ચાવડા, ડો.ગણેશ નકુમ, મનસુખભાઇ સોનગ્રા સહિત આવાસની મેલડી યુવા ગ્રુપના કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.


