લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સેમિનારનું આયોજન


SHARE

















મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે સેમિનારનું આયોજન

વિશ્વ ગ્રાહક સપ્તાહ નીમીતે મોરબીમાં ગ્રાહક સુરક્ષા મંડળના સૌજન્યથી “જાગો ગ્રાહક જાગો” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૧/૦૩/૨૦૨૫ ને શુક્રવારના રોજ મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ દશાશ્રી માળીની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે.

છેલ્લા ૨૮ વર્ષથી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા વિશ્વ ગ્રાહક સપ્તાહ નીમીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આગામી તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ મોરબીની દશાશ્રી માળીની વાડીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નીમીતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અધિકારી વર્ગ ઉપસ્થીત રહી ગ્રાહકોને માર્ગદર્શન આપશે અને ગ્રાહકોના પ્રશ્નોનું નીરાકરણ લાવવાનો પ્રયત્નો કરશે. આ સેમીનારમાં કર્મનીષ્ઠ કર્મચારી, પ્રમાણીક વેપારી, સામાજીક સંસ્થાઓ તથા સમાજ સેવકના એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવશે. આ સેમીનારના ઉદ્ઘાટક તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, પુર્વ સાંસદ રામાબેન માવાણી અને મુખ્ય મહેમાન તરીકે ડે. કલેકટર સુશીલ પરમાર, પુરવઠા અધિકારી જેમીન કાકડીયા, મામલતદાર એન.પી. ધનવાણી, મામલતદાર બી.એસ.પટેલ, રામજીભાઇ માવાણી, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા અને હરેશભાઇ બોપલીયા, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, મોરબી બીલ્ડર એસો. ના પ્રમુખ સંતોષભાઇ શેરશીયા, ઘનશ્યામભાઇ દવે, ઘનશ્યામસિંહ ઝાલા સહિતના મહાનુભાવો હાજર રહેશે. તેવુ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાની યાદીમાં જણાવાયેલ છે.




Latest News