મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ


SHARE













મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઈટ ચાલુ કરવા માટે મહાપાલિકામાં રજૂઆત કરવામા આવેલ છે.

મોરબી ઝોન -૨ માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે જો કે, ગોકળગતિફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું  છે અને ત્યાં ફ્લાયઓવર બ્રિજના કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે હાઇ માસ્ક લાઇટ મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે કેમ કે, તે લાઈટ બંધ પડેલ છે અને અન્ય સ્ટ્રીટ લાઈટ પણ ધણા સમયથી બંધ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે લોકોની સલામતી માટે વહેલી તકે બંધ પડેલ લાઈતોને શરૂ કરવામાં આવે તે જરૂરી છે. હાલમાં રાત્રીના સમયે બસ સ્ટેશન પાસે ઉભેલા મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા સ્ટ્રીટ લાઇટ વહેલમાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહારાણા પ્રતાપ સર્કલથી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News