હળવદના માનગઢ ગામે અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ
SHARE









મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઈટ ચાલુ કરવા માટે મહાપાલિકામાં રજૂઆત કરવામા આવેલ છે.
મોરબી ઝોન -૨ માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે જો કે, ગોકળગતિએ ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ત્યાં ફ્લાયઓવર બ્રિજના કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે હાઇ માસ્ક લાઇટ મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે કેમ કે, તે લાઈટ બંધ પડેલ છે અને અન્ય સ્ટ્રીટ લાઈટ પણ ધણા સમયથી બંધ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે લોકોની સલામતી માટે વહેલી તકે બંધ પડેલ લાઈતોને શરૂ કરવામાં આવે તે જરૂરી છે. હાલમાં રાત્રીના સમયે બસ સ્ટેશન પાસે ઉભેલા મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા સ્ટ્રીટ લાઇટ વહેલમાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહારાણા પ્રતાપ સર્કલથી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરેલ છે.
