મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE















મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આધેડનું મકાન મૂળ માલિકે વેચી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા ન થતા ટેન્શનમાં આવી ગયેલા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઈ અમૃતલાલ ગોહિલ (52)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક આધેડના પત્ની ચંદ્રિકાબેન રાજેશભાઈ ગોહિલ (36) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ ભાડાના મકાનમાં રહેતા હતા અને તે મકાનના માલિકે 10 દિવસ પહેલા આ મકાનનું વેચાણ કરી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઈ શકી ન હતી જેથી ટેન્શનમાં આવી ગયેલ આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News