લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE

















મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આધેડનું મકાન મૂળ માલિકે વેચી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા ન થતા ટેન્શનમાં આવી ગયેલા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઈ અમૃતલાલ ગોહિલ (52)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક આધેડના પત્ની ચંદ્રિકાબેન રાજેશભાઈ ગોહિલ (36) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ ભાડાના મકાનમાં રહેતા હતા અને તે મકાનના માલિકે 10 દિવસ પહેલા આ મકાનનું વેચાણ કરી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઈ શકી ન હતી જેથી ટેન્શનમાં આવી ગયેલ આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News