વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આધેડનું મકાન મૂળ માલિકે વેચી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા ન થતા ટેન્શનમાં આવી ગયેલા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઈ અમૃતલાલ ગોહિલ (52)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક આધેડના પત્ની ચંદ્રિકાબેન રાજેશભાઈ ગોહિલ (36) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ ભાડાના મકાનમાં રહેતા હતા અને તે મકાનના માલિકે 10 દિવસ પહેલા આ મકાનનું વેચાણ કરી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઈ શકી ન હતી જેથી ટેન્શનમાં આવી ગયેલ આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News