મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE







મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીમાં આવેલ શિવપાર્કમાં રહેતી પરણીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને માવતરે આવરો જોવારો હતો દરમિયાન તે મહિલા તેની માતા સાથે વાત કરતી હતી જેથી કરીને તે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક મહિલાના પતિબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ કાળુભાઈ જેજરીયા (26)ના પત્ની આશાબેન ચેતનભાઇ જેજરીયા (19)એ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે મહિલાને માવતરે આવરો જાવરો ન હોય જેથી મૃતક મહિલા તેના માતા સાથે વાત કરતી હતી માટે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News