અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE













મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીમાં આવેલ શિવપાર્કમાં રહેતી પરણીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને માવતરે આવરો જોવારો હતો દરમિયાન તે મહિલા તેની માતા સાથે વાત કરતી હતી જેથી કરીને તે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક મહિલાના પતિબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ કાળુભાઈ જેજરીયા (26)ના પત્ની આશાબેન ચેતનભાઇ જેજરીયા (19)એ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે મહિલાને માવતરે આવરો જાવરો ન હોય જેથી મૃતક મહિલા તેના માતા સાથે વાત કરતી હતી માટે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News