મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી


SHARE











મોરબીમાં માવતરે વાત કરવાની પતિએ ના પાડતાં પત્નીએ અનંતની વાટ પકડી

મોરબીમાં આવેલ શિવપાર્કમાં રહેતી પરણીતાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને માવતરે આવરો જોવારો હતો દરમિયાન તે મહિલા તેની માતા સાથે વાત કરતી હતી જેથી કરીને તે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક મહિલાના પતિબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા ચેતનભાઇ કાળુભાઈ જેજરીયા (26)ના પત્ની આશાબેન ચેતનભાઇ જેજરીયા (19)એ પોતે પોતાના ઘરની અંદર ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તે મહિલાને માવતરે આવરો જાવરો ન હોય જેથી મૃતક મહિલા તેના માતા સાથે વાત કરતી હતી માટે મહિલાને તેના પતિએ માવતરમાં વાત નહીં કરવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News