મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યના ૮ જિલ્લાની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: મંત્રી ઋષિકેશ પટેલ 


SHARE













મોરબી સહિત રાજ્યના ૮ જિલ્લાની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: મંત્રી ઋષિકેશ પટેલ 

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

મંત્રએ કહ્યું હતું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તેમના માટે કાર્ટ પરિષદમાં જ એક અલાયદા બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે. જે અંતર્ગત જામનગરમાં ૩૨.૪૦ કરોડ, ગાંધીનગરમાં ૭.૨૦ કરોડ, ભાવનગરમાં ૧૪.૪૩ કરોડ, મોરબીમાં ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.




Latest News