મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત


SHARE







મોરબીની મચ્છુ નદીમાં પાણી છોડતા મીઠાના ઉદ્યોગકારોને નુકશાન: મરીન સોલ્ટ મેન્યુ. એસો.ની રજૂઆત

મોરબીના મચ્છુ-2 ડેમના 33 દરવાજા બદલાવવાના છે જેથી કરીને હાલમાં ડેમને ખાલી કરવા માટે ડેમના બે દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી માળીયા તાલુકામાં મીઠાના અગરમાં પાણી જઈ રહ્યું છે જેથી કરીને મીઠાના એકમોને નુકશાન થઈ રહ્યું છે જેથી કરીને મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો. દ્વારા કલેકટર અને સિંચાઈ વિભાગના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે


હાલમાં મરીન સોલ્ટ મેન્યુફેકચર્સ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજાએ કલેક્ટરને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમના દરવાજા બદલાવવા માટેનું કામ ચાલી રહ્યું છે જેથી કરીને ડેમને ખાલી કરવા માટે પાણી નદીમાં છોડ્યું છે. જો કે, મચ્છુ નદીનું પાણી મીઠાના એકમોમાં આવે છે અને હાલમાં મીઠાની સિઝન છે જેથી કરીને મીઠા ઉદ્યોગને મોટું નુકશાન વેઠવું પડે, ઉત્પાદનમાં નુકશાન થાય અને અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેથી ઓછામાં ઓછી નુકશાની થાય તેવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે.






Latest News