મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો માધવપુર મેળા અંતર્ગત સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ

ગુજરાત સરકાર દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ માધવપુર મેળા 2025 નિમિત્તે સરકાર દ્વારા ભારતના 1600 કલાકારો દ્વારા વિવિધ શહેરોમાં મેગા ઇવેન્ટનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. જેમાં મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સમગ્ર રાજ્યમાં યોજાયેલ કાર્યક્રમોમાં સમાવેશ કરવામાં આવેલ છે

મોરબી સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી સાર્થક વિદ્યામંદિરની બાળકો પ્રાચીન ગરબામાં પોતાનું પર્ફોમન્સ તા.1 એપ્રિલથી 10 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ, સોમનાથ, માધવપુર અને દેવભૂમિ દ્વારકા ખાતે રજૂ કરશે. જેમાં શાળાના માર્ગદર્શન હેઠળ 16 જેટલી વિદ્યાર્થીની બહેનો પરફોર્મન્સ આપી રહી છે. જે કૃતિના કોરિયોગ્રાફર રવિરાજભાઈ છે. મોરબીની દીકરીઓ ગુજરાતના અનેક મેગા સિટીમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. ત્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ તેઓની ટીમે તમામ ક્ષેત્રે મોરબી જિલ્લાના બાળકોને પ્રોત્સાહન સાથે કલાકારોને સન્માન અને તક મળે તેવું આયોજન કરી રહ્યા છે ત્યારે હાલની ક્ષણ સાર્થક વિદ્યામંદિર સહિત મોરબી માટે ગૌરવવંતી ક્ષણ છે. તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.





Latest News