મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 413 એમસીએફટી પાણી છોડ્યું


SHARE











મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 431 એમસીએફટી પાણી છોડ્યું

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામા આવી રહી છે જેથી કરીને ડેમમાં રહેલ પાણીને ખાલી કરવા માટે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે દરવાજાને 41 કલાક સુધી ખુલ્લા રાખીને ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને હવે તે દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે.

મોરબીના મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા ગત વર્ષે બદલાવવામાં આવેલ છે અને બાકીના 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેથી તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કુલ મળીને 41 કલાક સુધી દરવાજાઓને ખુલ્લા રાખીને આ ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ છે જો કે, મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાએ હાલમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ડેમના જે દરવાજાને પાણી ખાલી કરવા માટે ખોલવામાં આવ્યા હતા તેને સવારે આજે 9:30 કલાકે બંધ કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના મચ્છુ-2 ડેમમાં 16.77 ટકા પાણી ભરેલ છે જેથી આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પીવા માટેનું પાણી મળી રહેશે.

ડેમના દરવાજા ખોલવાથી ખેડૂતો-અબોલ જીવને ફાયદો

મચ્છુ-2 ડેમમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવ્યું તે પાણી દરિયામાં વેડફાઇ તે પહેલા મચ્છુ-2 ડેમથી લઈને દરિયા સુધીના નદીના પટમાં આવેલ એક કે બે નહીં નવ જેટલા ચેકડેમો ભાર ઉનાળે ભરાઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તેમાંથી મળી રહેશે. અને આટલું જ નહીં મચ્છુ-3 ડેમમાંથી કેનાલ મારફતે પાણીને માળિયા તાલુકાના મોટાભેલાનવાગામ અને સરવડ સુધી પહોચડવામાં આવેલ છે જેથી કરીને અબોલજીવને પીવા માટે અને ગામના લોકોને વપરાશ માટે મચ્છુનું પાણી કામ આવશે.






Latest News