મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 413 એમસીએફટી પાણી છોડ્યું


SHARE













મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 431 એમસીએફટી પાણી છોડ્યું

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામા આવી રહી છે જેથી કરીને ડેમમાં રહેલ પાણીને ખાલી કરવા માટે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે દરવાજાને 41 કલાક સુધી ખુલ્લા રાખીને ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને હવે તે દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે.

મોરબીના મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા ગત વર્ષે બદલાવવામાં આવેલ છે અને બાકીના 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેથી તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કુલ મળીને 41 કલાક સુધી દરવાજાઓને ખુલ્લા રાખીને આ ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ છે જો કે, મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાએ હાલમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ડેમના જે દરવાજાને પાણી ખાલી કરવા માટે ખોલવામાં આવ્યા હતા તેને સવારે આજે 9:30 કલાકે બંધ કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના મચ્છુ-2 ડેમમાં 16.77 ટકા પાણી ભરેલ છે જેથી આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પીવા માટેનું પાણી મળી રહેશે.

ડેમના દરવાજા ખોલવાથી ખેડૂતો-અબોલ જીવને ફાયદો

મચ્છુ-2 ડેમમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવ્યું તે પાણી દરિયામાં વેડફાઇ તે પહેલા મચ્છુ-2 ડેમથી લઈને દરિયા સુધીના નદીના પટમાં આવેલ એક કે બે નહીં નવ જેટલા ચેકડેમો ભાર ઉનાળે ભરાઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તેમાંથી મળી રહેશે. અને આટલું જ નહીં મચ્છુ-3 ડેમમાંથી કેનાલ મારફતે પાણીને માળિયા તાલુકાના મોટાભેલાનવાગામ અને સરવડ સુધી પહોચડવામાં આવેલ છે જેથી કરીને અબોલજીવને પીવા માટે અને ગામના લોકોને વપરાશ માટે મચ્છુનું પાણી કામ આવશે.






Latest News