મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે ટંકારાના ખાખરા ગામ નજીક પુલ ઉપરથી છોટા હાથી નદીમાં ખાબક્યું: જીવના જોખમે માવો બનાવતા યુવાનનો વિડિયો વાયરલ ડોક્ટર હનુમાનના મંદિરે માણહ... માણહ... થશે: મોરબીના ખોખરા હનુમાન માટે કેશવાનંદ બાપુએ કરેલ ભવિષ્ય વાણી સાચી ઠરી, ગુજરાતમાં એક માત્ર 108 ફૂટની હનુમાનજીની મુર્તિ આકર્ષણનું કોન્દ્ર મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ 3700 ના મુદામાલ સાથે પકડાયો એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE











મોરબીમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

મોરબીમાં દર વર્ષે રામનવમી નિમિતે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રામાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનો રથ, રામ જન્મભૂમિમાં બનાવવામાં આવેલ રમા મંદિરની પ્રતિકૃતિ તેમજ વિવિધ ફ્લોટ્સ  રાખવામા આવ્યા હતા અને આ શોભાયાત્રા જય શ્રી રામના નારા સાથે મોરબીના સામાકાંઠ આવેલ સર્કિટ હાઉસ પાસેથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ, પાડાપુલ, વીસી ફાટક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવડેલા રોડ, જૂના બસ સ્ટેશન, સાવસર પ્લોટ, શનાળા રોડ, બાપા સીતારામ ચોક, ચકીય હનુમાન, હોસ્પિટલ ચોક, નહેરૂ ગેઇટ ચોક, ગ્રીન ચોક અને દરબાર ગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરે ખાતે શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના દરેક રોડ અને ચોકમાં શોભાયાત્રાનું દરેક જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો વેપારીઓ સહિતનાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું ત્યાં મહાઆરતી સર્વે સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું કંસારા સમાજ દ્વારા આયોજન કરાયું હતું અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે કમલેશભાઈ બોરીચા, ભાગીરથસિંહ રાઠોડ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

 

મિશન નવ ભારત

મોરબીમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠન અને યુવા ટીમ દ્વારા શોભાયાત્રાનું કેસર બાગ પાસે અદકેરું સ્વાગત કરાયું હતું અને ભગવાન શ્રીરામના જીવન મૂલ્યો અને આદર્શો જન જન સુધી પહોંચે અને એના વિચારોનું અનુકરણ કરે તે માટેનો સંકલ્પ કર્યો હતો






Latest News