વાંકાનેરના પલાસ ગામ તરફ જતાં રસ્તા ઉપર બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથે થયેલ બોલચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઈપ વડે કર્યો હુમલો વાંકાનેરના અમરસર ગામનો બનાવ: મારી પત્ની સાથે કેમ ઝઘડો કરે છે તેવું કહીને દંપતી ઉપર પાઇપ વડે હુમલો મોરબીમાં રોડની કટ પાસે યુટર્ન લેતા આધેડના બાઈકે એક્ટિવાના ચાલકે ઉડાવ્યું: આધેડને ખોપરીમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીમાં આવેલ એ.જે. માઇક્રોન્સ નામના કારખાનામાં લોખંડનું પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનના મોત મામલે ગુનો નોંધાયો માળીયા (મી)માં આધેડ ઉપર આડેધડ ફાયરિંગ કરીને હત્યા કરવાના બનાવમાં ભાજપના શહેર પ્રમુખ સહિત 6 સામે ફરિયાદ માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં અકસ્માત: મહિલાઓ સહિત કુલ 7 લોકોને ઇજા મોરબીમાં ઘરમાંથી 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક શખ્સ પકડાયો: માલ આપનારા રાજકોટના શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો


SHARE











મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે ત્રિવિધ કાર્યક્રમો યોજાયો

મોરબીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામના જન્મોત્સવ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ . ત્યારે પ્રાગટ્યોત્સવ, મહાઆરતી અને ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા સી.પી.પોપટ પરિવાર તરફથી કરવામાં આવી હતી. આ તકે એકતા એજ હિન્દુ સંગઠનના સંસ્થાપક ભગીરથસિંહ રાઠોડ, જૈન સમાજ અગ્રણી હિરેનભાઈ દોશી, દીનેશભાઈ પારેખ, જયેશભાઈ ટોળીયા, વૃષભભાઈ દોશી, પટેલ સમાજ અગ્રણી દીનેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ક્ષત્રિય સમાજ અગ્રણી પુષ્પરાજસિંહ જાડેજા, બ્રાહ્મણ સમાજ અગ્રણી અશોકભાઈ જોશી, હિતેશભાઈ જાની, મંથનભાઈ જોશી, સતવારા સમાજ અગ્રણી હર્ષલભાઈ ડાભી, પ્રશાંતભાઈ ડાભી, વાણંદ સમાજ અગ્રણી દીપભાઈ સોલંકી, મોચી સમાજ અગ્રણી આયુશભાઈ ચૌહાણ,લોહાણા સમાજ અગ્રણી પ્રફુલ્લભાઇ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, રાજકીય અગ્રણી દીપકભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પોપટ સહીત ના વિવિધ હિન્દુ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્મને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, જીલ્લા ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, કૌશલભાઈ જાની, માતૃશક્તિ અધ્યક્ષા ભારતીબેન રામાવત સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News