મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્રારા રાંદલ વિદ્યયાલય ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન


SHARE





મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્રારા રાંદલ વિદ્યયાલય ખાતે જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન રાંદલ વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવ્યુ હતુ.મોરબી મહાનગરપાલિકામાં ચીફ એકાઉન્ટન્ટ ક્લાસ-૨ તરીકે ફરજ બજાવતા ડી.કે.બારડ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સ્નેહમિલનના આજીવન દાતા એવા ચંદુભાઈ હુંબલ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમના આજીવન દાતા એવા અરવિંદભાઈ બોરીચા તેમજ આજની સામાન્ય જ્ઞાન કસોટીના દાતા અને મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એવા ડૉ.પ્રો.રામભાઈ વારોતરીયા તેમજ પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગરની હાજરીમાં આ આયોજન થયું હતું.

તેઓએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. સામાન્ય જ્ઞાન કસોટીમાં ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવેલા ધોરણ ૬ થી ૮ ના કુલ ૬૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ તમામ વિદ્યાર્થીઓને ડૉ.પ્રો.રામભાઈ વારોતરીયા દ્વારા દાતા તરીકે શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.સામાન્ય જ્ઞાન કસોટીમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ એવા વિક્રમભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંડળના મંત્રી એવા મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કારોબારી મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.અરવિંદભાઈ બોરીચા દ્વારા ધોરણ ૧૦ ની વાર્ષિક પરીક્ષામાં મોરબી જિલ્લાના કોઈપણ પરીક્ષા કેન્દ્રમાંથી આહીર સમાજનો વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ નંબરે આવશે તો તેને અરવિંદભાઈ તરફથી રૂપિયા ૨૧ હજારનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે.તેવી જાહેરાત કરવામાં આવી છે.આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું.પરીક્ષાનું તમામ આયોજન રમેશભાઈ છૈયા, ગૌરાંગભાઈ ગોહિલ, સાગરભાઇ ચાવડા, યશપાલ લોખીલ, વિજયભાઈ ડાંગર, વિજયભાઈ હુંબલ દ્વારા કરવામાં આવેલ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા તમામને બિરદાવવામાં આવ્યા હતા




Latest News