મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબીના રંગપર ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં મોરબી જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતમા માધાપરવાડી કન્યા શાળા ખાતે યોજાઈ મોરબીમાં CGCRI સમકક્ષ રીસર્ચ સંસ્થા મોરબી શરૂ કરવા સિરામિક એસો.ની માંગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં બિઝનેસ કોન્ક્લેવનું આયોજન મોરબી મહાનગરપાલિકા હદમાં ભેળવેલ જુદી-જુદી પાંચ ગ્રામ પંચાયતોમાં ૬૩.૧૬ લાખના રોડના કામો પૂર્ણ મોરબીમાં મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં યુવતી સહીત વધુ બે જેલ હવાલે મોરબી જીલ્લામાં ૭૧.૪૫ લાખની છેતરપિંડીનો ભોગ બનેલ યુવાનને પોલીસે ૪૧.૮૧ લાખની રકમ પરત અપાવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત


SHARE











વાંકાનેરમાં નવી સિંચાઈ વિભાગની પેટા કચેરી, રોડ રસ્તાના વિકાસ કામ માટે જિગ્નાસાબેન મેરની ગાંધીનગરમાં રજૂઆત

વાંકાનેર તાલુકામાં વિવિધ વિકાસના કામોની રજૂઆત માટે ગાંધીનગર સચિવાલય ખાતે વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન જીગ્નાસાબેન મેર, ઉપપ્રમુખ દેવાભાઈ વિંજવાડીયા, ભાજપ આગેવાન નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી

ત્યારે જિગ્નેશબેન મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં પાંચ તાલુકા વચ્ચે ફક્ત એક પેટા વિભાગીય સિંચાઈ પંચાયત કચેરી આવેલ છે, જેના હસ્તક કુલ ૨૧ નાની સિંચાઈ યોજના, ૪૨૫ થી વધુ તળાવ, ૧૭૩ થી વધુ ચેકડેમ આવેલ છે, જેમાં વાંકાનેર તાલુકો ૧૦૨ ગામો સાથે ૧૧૨૮ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો મોટો તાલુકો હોય, વાંકાનેર તાલુકા ખાતે પંચાયત સિંચાઈ પેટા વિભાગની નવી કચેરી બનાવવા તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીગ્નાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરવામાં આવી છે. જેનાથી સિંચાઈના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ અને મેન્ટેનન્સ કામ ઝડપથી અને સરળ રીતે થઈ શકશે. આ ઉપરાંત વાંકાનેર તાલુકામાં વિવિધ નવા રોડ માટેની ભલામણ અને જૂના રોડના પ્રશ્નો જેવા કે વર્ષ ૨૦૨૨ માં મંજૂર થયેલ રાતાવીરડાથી ઓળ સુધીના ૮૫૦ લાખની રકમના રોડને ૯૩૦ લાખના રકમના રોડના જોબ નંબર ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી જેનાથી આજુબાજુના લગભગ દસથી બાર ગામોને સીધો ફાયદો થઈ શકે એમ છે.






Latest News