મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં 14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત તા. 12 એપ્રિલ ના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભારતના બંધારણના નિર્માતા એવા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ડો. બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો હાજર રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. અને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

