મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો
ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે
SHARE







ટંકારા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે
વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ- ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.
આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબની ટીમ હાજર રહેશે જેથી ટંકારા પંથકની જાહેર જનતાએ કેમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે અને આ કેમ્પ કાલે તા તા.૧૪-૪ ને સોમવારે બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦ સુધી બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે યોજાશે અને વધુ માહિતી માટે તેમજ નામ લખાવવા માટે મોબાઈલ નંબર ૭૮૨૦૦ ૭૪૨૦૦ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ કહ્યું છે

