મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત


SHARE











મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપરથી બાઈકમાં આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે રસ્તા ઉપર નીચે ટકાતા તેને માથામાં હેમરેથયું હતું જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જીતેશભાઈ અમુભાઈ મોટેરીયા (50) નામના આધેડ બાઈક ઉપર મોરબીના ઘુટુ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આઇટીઆઇથી આગળના ભાગમાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં જીતેશભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા જીતેશભાઈ મોટેરિયાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પ્રભુભાઈ ગાંડુભાઇ નંદેસરીયા (58) નામના વૃદ્ધને રેલવે ફાટક પાસે રોડ ઓળંગતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News