માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત


SHARE

















મોરબીના ઘૂટું રોડે બાઈક સ્લીપ થતાં હેમરેજ થવાથી સારવારમાં ખસેડાયેલા આધેડનું મોત

મોરબીના ઘૂટું રોડ ઉપરથી બાઈકમાં આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તે રસ્તા ઉપર નીચે ટકાતા તેને માથામાં હેમરેથયું હતું જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું છે જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા જીતેશભાઈ અમુભાઈ મોટેરીયા (50) નામના આધેડ બાઈક ઉપર મોરબીના ઘુટુ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આઇટીઆઇથી આગળના ભાગમાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં જીતેશભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા જીતેશભાઈ મોટેરિયાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ નંદરામભાઇ મેસવાણિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા પ્રભુભાઈ ગાંડુભાઇ નંદેસરીયા (58) નામના વૃદ્ધને રેલવે ફાટક પાસે રોડ ઓળંગતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News