મોરબીના મચ્છુ-2 ડેમના બે દરવાજા બુધવારે બપોરે પાણી છોડવા માટે બે ફુટ સુધી ખોલવામાં આવશે: અધિકારી
મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરની શાળા બે આચાર્યનો વિદાય સમરોહ યોજાયો
SHARE









મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરની શાળા બે આચાર્યનો વિદાય સમરોહ યોજાયો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી રફાળેશ્વર તાલુકા શાળાની વિવિધ પેટા શાળાના આચાર્યઓનો વિદાય સમારંભ યોજાયો હતો અને શ્રી રફાળેશ્વર તાલુકા શાળાની પેટા શાળા હેઠળની શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તાની જિલ્લાફેરથી જુનાગઢ જિલ્લામાં બદલી, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ રાઠોડની બઢતી સાથે વાંકાનેર તાલુકામાં મદદનિશ કેળવણી નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવેલ છે જેથી કરીને આ બંને આચાર્યનો વિદાય સમારોહ યોજાયો હતો.
