મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબીના પંચમુખી હનુમાન મંદિરે નિરૂભા ઝાલા-પ્રતિમાબેન રાઠોડનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ રોકડીયા હનુમાન પ્રાથમિક શાળાના આચાર્ય નિરૂભા બેચુભા ઝાલા તથા શ્રી ગિબ્શન મિડલ સ્કૂલના આચાર્ય શ્રીમતી પ્રતિમાબેન રાઠોડ વમર્યાદાના લીધે સેવા નિવૃત્ત થતા હોય તેમનો વિદાય સમારોહ મોરબી શહેરના વિસ્તારમાં ઉમા ટાઉનશિપની સામેના ભાગમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વોરાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શર્મિલાબેન હુંબલ, જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ દિનેશભાઈ વરસોલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, જિલ્લા સહકારી પ્રેસના ઉપપ્રમુખ અને રંગપર ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ટંકારા તાલુકા ભાજપના મહામંત્રી રૂપસિંહ ઝાલા, તાલુકા શાળા નં-3 ની તમામ પેટા શાળાનો સ્ટાફ તથા ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો અને રાજપૂત સમાજના અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વમર્યાદાના લીધે નિવૃત્ત થતા નિરૂભા ઝાલા તેમજ પ્રતિમાબેન રાઠોડને સહુ કોઈએ શુભકામનાઓ પાઠવી હતી.






Latest News