ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે યુવાનની બે શખ્સોએ કરી નિર્મમ હત્યા


SHARE













 

મોરબીના નાનીવાવડી ગામે ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે યુવાનની બે શખ્સોએ કરી નિર્મમ હત્યા

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાને હોસ્પિટલ ખર્ચ આવતા રૂપિયાની જરૂર હતી જેથી કરીને તે જ ગામમાં રહેતા બે શખ્સ પાસેથી રૂપિયા ઉછીના લીધેલ હતા અને તે રૂપિયા પાછા ન આપી શકતા આ બંને શખ્સે તે યુવાનને ગામ નજીક આવેલ તળાવ કાંઠે માથા ભાગે તેમજ શરીરે બોથડ પદાર્થ વડે ઘા મારીને ગંભીર ઇજા કરીને તેની હત્યા કરી હતી જેથી યુવાનની લાશ મળી આવી હતી જેને ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હેમંત પ્રેમજીભાઇ સોલંકી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા રહે બંને નાનીવાવડી મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે તેના નાના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32) કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને જે તે સમયે હોસ્પિટલનો ખર્ચ આવી જવાથી ફરિયાદીના દીકરાએ બંને આરોપીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે રૂપિયા પરત ન આપી શકતા બંને આરોપીઓએ તેના દીકરાને નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે બોલવેલ હતો જો કે, ફરિયાદીના મોટા દીકરા વસંતભાઇ  અસ્થિતર મગજના છે અને તેને હાથમાં ફ્રેકચર થયેલ હોવાથી તેની ઓપરેશન કરવાનું હતું જેથી તે હોસ્પિટલે હતા ત્યાં રોકાવું પડે તેમ હતું જેથી કરીને ચાદર મંગાવવા માટે તેઓએ તેના દીકરા દિપકભાઈને ફોન કર્યો હતો ત્યારે તેનો ફોન હેમંત પ્રેમજીભાઇ સોલંકીએ ઉપડયો હતો અને કહ્યું હતું કે તારા દીકરાએ મારી અને ગૌતમભાઇ હીરાભાઇ ઉભડીયા પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા જે પાછા આપેલ નથી જેથી તું તારા દીકરા વતી રૂપિયા આપી દે તેવું કહ્યું હતું અને ફરિયાદીના દીકરાને માર નાખવાની બંને આરોપીઓએ ફોન ઉપર ફરિયાદીને ધમકી આપેલ હતી ત્યાર બાદ ફરિયાદી રાતે હોસ્પિટલે જ રોકાયેલ હતા અને બીજા દિવસે સવારે તેઓને રણછોડભાઈ મકવાણાનો ફોન આવેલ હતો અને કહ્યું હતું કે, તમારા દીકરા દીપકભાઈનું તળાવના કાંઠે મર્ડર થઈ ગયું છે તેઓ તાત્કાલિક તેના દીકરા વસંતભાઇને સાથે લઈને ત્યાં ગયા હતા અને ત્યારે ગામના લોકો તેમજ પોલીસ ત્યાં આવી ગયેલ હતી અને ત્યાર બાદ ફરિયાદીના દીકરાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવેલ હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ આપેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ બનાવની આગળની તપાસ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટિમ ચલાવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના કૂલીનગરમાં રહેતો નવાજ રમજાન ખોખર (4) નામનો બાળક તેના મામા સાથે વીસી ફાટક બાજુ જવાના સ્મશાન રોડ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News