મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા, જયેશ વેલજીભાઇ સેખવા સહિત કુલ મળીને છ વ્યક્તિને બંને પક્ષે ઇજાઓ થઈ હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ મારામારીની અગાઉ ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી ત્યાર બાદ રાજકોટ ખાતે ઇજા પામેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે અગાઉ ચુનીલાલ ક્માભાઈ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા અને રાકેશ ચુનીલાલ વઘોરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને પકડવામાં આવેલ ન હતો જો કે, હાલમાં આરોપી સુરેશ ચુનીલાલ વધોરાની ધરપકડ કરવામાં આવી છે