રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં બાકીમાં કોલસો લઈને રૂપિયા નહીં આપનારા ઉદ્યોગકારોને ત્યાં હવે માલની સપ્લાઈ બંધ


SHARE











મોરબીમાં બાકીમાં કોલસો લઈને રૂપિયા નહીં આપનારા ઉદ્યોગકારોને ત્યાં હવે માલની સપ્લાઈ બંધ

મોરબી કોલ એસો.ના પ્રમુખ જીગ્નેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલની આગેવાનીમાં તાજેતરમાં મિટિંગ મળી હતી. જેમા ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં આવનારા પડકારોને ધ્યાનમા રાખીને જુદાજુદા વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વધુ પડતી ઉધારી તથા પૈસા ખોટા થવાનુ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે કોલ ઉદ્યોગ ટકી રહે તે માટે સર્વાનુમતે નિર્ણયો કરીને “લાંબા સમયથી ઉધારીના પૈસા ન આપતી હોય તેવી ઇન્ડસ્ટ્રીઝમા કોઈ પણ કોલ સપ્લાયર્સ માલ નાખશે નહિ” તેવું નક્કી કરવામાં આવ્યું છે આટલું જ નહીં જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝ વાળાને રૂપિયા સમયસર અપાતા નથી તેવા ટ્રેડર્સ તથા ઉદ્યોગકારોના નામ હવે ફ્રોડ લિસ્ટમાં નાખવામાં આવશે તેવો પણ નિર્ણય કોલ એસો.ના તમામ સદસ્યોએ સર્વાનુમતે લીધે છે.






Latest News