ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ખુલ્લા નાલામાં ગટરના ગંદા પાણીમાં ડુબી જવાથી છ વર્ષના માસુમ બાળકનું મોત


SHARE













મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખુલ્લા નાલામાં ગટરનું ગંદુ પાણી ભરેલું હતું અને ત્યાં રમતા રમતા એક છ વર્ષનો બાળકને નાલામાં પડી ગયો હતો જેથી ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવી છે

મૂળ ધાનપુર તાલુકાના મેન્દ્રી ગામના રહેવાસી દિલહરભાઈ બળવંતભાઈ ચૌહાણ હાલમાં મોરબીમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે અને તેની સાથે હાલમાં તેના સાળાની પત્ની અને તેનો છ વર્ષનો દીકરો રવિ સનાભાઈ નાયક પણ રહેતો હતો તે બાળક આજે સાંજે નવલખી રોડ ઉપર આવેલ ખુલ્લા નાલામાં રમતા રમતા પડી ગયો હતો અને તે નાલાની અંદર ભરેલા ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે આ માસુમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું ત્યારબાદ મૃતક બાળકને દિલહરભાઈ ચૌહાણ સહિતના લોકો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News