વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ખુલ્લા નાલામાં ગટરના ગંદા પાણીમાં ડુબી જવાથી છ વર્ષના માસુમ બાળકનું મોત


SHARE







મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ખુલ્લા નાલામાં ગટરનું ગંદુ પાણી ભરેલું હતું અને ત્યાં રમતા રમતા એક છ વર્ષનો બાળકને નાલામાં પડી ગયો હતો જેથી ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને અકસ્માત મૃત્યુના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવી છે

મૂળ ધાનપુર તાલુકાના મેન્દ્રી ગામના રહેવાસી દિલહરભાઈ બળવંતભાઈ ચૌહાણ હાલમાં મોરબીમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે અને તેની સાથે હાલમાં તેના સાળાની પત્ની અને તેનો છ વર્ષનો દીકરો રવિ સનાભાઈ નાયક પણ રહેતો હતો તે બાળક આજે સાંજે નવલખી રોડ ઉપર આવેલ ખુલ્લા નાલામાં રમતા રમતા પડી ગયો હતો અને તે નાલાની અંદર ભરેલા ગટરના ગંદા પાણીમાં ડૂબી જવાના કારણે આ માસુમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું ત્યારબાદ મૃતક બાળકને દિલહરભાઈ ચૌહાણ સહિતના લોકો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવીજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News