રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી મોરબીના સમાજ સેવા કેન્દ્ર દ્વારા વાસુર્ણા ખાતે બાળકોને રમત-ગમતના સાધનો અર્પણ કર્યા મોરબીમાં જૈન આચાર્ય દ્વારા બકરી ઇદના દિવસે આયંબિલ તપ કરીને કરુણા દિવસ તરીકે મનાવવા અનુરોધ મોરબીના મહેન્દ્રનગર ગામે સ્ટ્રોમ વોટર-ડ્રેનેજના 3.81 કરોડના કામનું કર્યું ખાતમુર્હત મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠકો ભાજપના હાથમાં છતાં પ્રમુખ પદે કોંગ્રેસના ગીતાબેન દુબારિયા વિજેતા હળવદના ચરાડવા નજીક એસટીની વોલ્વો બસના ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ડીઝલ લેવા ગયેલા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત મોરબીના રફાળેશ્વર ગામે અવાવરુ જગ્યાએ જતી રહેલ બે ભેંસને ખોરાક-પાણી ન મળતા મોત માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા
Breaking news
Morbi Today

મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ


SHARE











મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ

મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા.લી. પાસેથી માલ ખરીદીને અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક નામની ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા.હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા.લી. તરીકે ધંધો કરે છે.

તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ ઉધારીમાં ખરીદીને રૂ.૬૫ લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના ૨૫ લાખના બે ચેકો આપેલ હતા.જે પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થયેલ, જે બંને કેસો કોર્ટમાં ચાલી જતાં મોરબીના જ્યુડી.મેજી.ફ.ક. શ્રી સી.વાય.જાડેજા સાહેબની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવીને દરેક કેસમાં એક વર્ષની જેલ સજા તથા ચેકની બમણી રકમ રૂ.૫૦ લાખનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે.જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની વધુ જેલ સજા ફરમાવેલ છે.ફરિયાદી તરફે બી.એન.શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.






Latest News