ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન


SHARE













મોરબીના આંદરણા ગામે આદ્રોજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા સંપન્ન

મોરબીના આંદરણા ગામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કથાના મુખ્ય યજમાન ભરતભાઈ રતિલાલભાઈ આદ્રોજા તથા આદ્રોજા પરિવાર હતો જે ભાગવત કથા સંપન્ન થઈ ગયેલ છે આ કથાનું પિયુષ મહારાજ દ્વારા શ્રોતાઓને રસ પાન કરાવવામાં આવ્યું હતું અને કથામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ પડસુંબીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, ધનજીભાઈ દંતાલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત નકલંક મંદિરના મહંત દામજીભગત તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા. આ કથા દરમ્યાના જમ્મુમાં કરવામાં આવેલ આતંકી હુમલાના દિવંગતોને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સરકાર “ઇંટનો જવાબ પથ્થરથી આપે” તેવી ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી.






Latest News