મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ


SHARE







મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ

મોરબી મહાનગરપાલિકા દરજો આપવામાં આવેલ છે જો કે, મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત રહે છે જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામમાં  ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહે છે. તો અને આ ગામનો મહાપાલિકામાં તા ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી  અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી  કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી રહી નથી. જેમાં ખાસ કરીને પાણી આવતું નથી, હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવામાં આવતા નથી, સોસાયટીમાં કોઈ મહાપાલિકાનું વાહન, ગાડી,કે ટ્રેકટર  કચરો લેવા માટે આવતા નથી, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ નથી, મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા મૂકવામાં આવે તે સહિતની માંગ કરી છે.






Latest News