મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ
SHARE
મોરબી મહાપાલિકામાં સમાવેશ થયેલાં મહેન્દ્રનગર ગામને પાયાની સુવિધાઓ આપવામાં આમ આદમી પાર્ટીની માંગ
મોરબી મહાનગરપાલિકા દરરજો આપવામાં આવેલ છે જો કે, મહાપાલિકામાં આવતા મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત રહે છે જેથી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાના ઝોન -૨ માં આવેલ મહેન્દ્રનગર ગામમાં ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત,સોમનાથ પાર્ક,હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમા આશરે ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ હજાર લોકો રહે છે. તો અને આ ગામનો મહાપાલિકામાં તા ૧/૧/૨૦૨૫ થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાપાલિકા ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કર છે. તો આજ દિવસ સુધી કોઈપણ જાતની પાયાની સુવિધા આપવામાં આવી રહી નથી. જેમાં ખાસ કરીને પાણી આવતું નથી, હાલ કોઈ રોડ રસ્તા સફાઈ કરવામાં આવતા નથી, સોસાયટીમાં કોઈ મહાપાલિકાનું વાહન, ગાડી,કે ટ્રેકટર કચરો લેવા માટે આવતા નથી, સર્કિટ હાઉસ થી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ નથી, મહેન્દ્રનગર ચોકડી થી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા મૂકવામાં આવે તે સહિતની માંગ કરી છે.