માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

નાનીબરાર તાલુકા શાળાના વિધાર્થીઓનો જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ


SHARE











નાનીબરાર તાલુકા શાળાના વિધાર્થીઓનો જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે જ પરીક્ષા આપેલ 10 વિધાર્થીઓ પૈકી 5 વિધાર્થીઓ ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા સુહાના, નેરા મુસ્કાન અને ટોરિયા કરણ એ આજરોજ જાહેર થયેલ કામચલાઉ મેરીટ યાદીમાં સ્થાન મેળવેલ છે. આ વિધાર્થીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ દરમિયાન 90,000 જેટલી શિષ્યવૃતિ મળવા પાત્ર છે. જે બદલ શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા, અલ્પેશભાઈ મોવાલિયા,ચિરાગભાઈ પટેલ અને સમગ્ર શાળા પરિવાર તરફથી બધા વિધાર્થીઓ અને એમના માર્ગદર્શક શિક્ષક એવા રાકેશભાઈ ફેફરને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.






Latest News