મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીને પકડવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી યોજાઇ


SHARE







મોરબીના ખાખરાળા ગામે રબારી યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીને પકડવાની માંગ સાથે વડવાળા યુવા સંગઠનની મૌન રેલી યોજાઇ

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રબારી યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં આરોપી હજુ સુધી પકડાયેલ નથી જેથી આજે વડવાળા યુવા સંગઠનની આગેવાનીમાં મૃતક યુવાનના પિતા સહિતના પરિવારજનોને સાથે રાખીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૌન રેલીમાં રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એસપી કચેરી ખાતે જઈને ડીવાયએસપીને આવેદનપત્ર આપીને આરોપીને વહેલી તકે પકડીને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા જગદીશભાઈ કલોતરાના દીકરા કિશન જગદીશભાઈ કરોતરા (21)ની થોડા દિવસો પહેલા છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા જગદીશભાઈ કરોતરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 30/4/2025 ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ખાખરાળાના મૂળ રહેવાસી અને હાલમાં નાની વાવડી ગામે રહેતા સાગર ઉર્ફે મૂળુ આયદાનભાઈ ડાંગર નામના શખ્સે કિશન કરોતરાની હત્યા કરી હતી અને હત્યાના બનાવને આજે 6 દિવસ જેટલો સમય થઈ ગયેલ છે તો પણ આરોપી ઝડપાયેલ નથી જેથી આજે મોરબી વડવાળા યુવા સંગઠનનેના દેવેનભાઈ રબારીની આગેવાની હેઠળ મૃતક યુવાનના પિતા જગદીશભાઇ કરોતરા સહિતના પરિવારજનોને સાથે રાખીને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો આવ્યા હતા.

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ કેસરબાગે એકત્રિત થયા હતા અને ત્યાંથી રેલી યોજીને મોરબી એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યાં ડિવાયએસપી પી.એ. ઝાલાને મૃતક યુવાનના પિતા સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલાએ કહ્યું હતું કે, બનાવ સ્થળેથી બે કાર્ટિસ અને હથિયાર કબજે કર્યું છે તેમજ આરોપી જે ગાડી લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો તે ગાડી અને ગાડીમાંથી પણ બે કાર્ટિસ કબજે કરવામાં આવ્યા છે જોકે, આરોપીને પકડવા માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર ચારેક ટીમો કામ કરી રહી છે અને આરોપીને નીચેની કોર્ટમાંથી જામીન નહિ મળે તેવી ખાતરી ડીવાયએસપીએ મૃતકના પિતા તેમજ રબારી સમાજના લોકોને આપી હતી.

આ તકે મૃતક યુવાનના પિતા તથા રબારી સમાજના આગેવાનો દ્વારા આરોપી અગાઉ પણ ગુનામાં સંડોવાયેલ હતો જેથી ભવિષ્યમાં આવી રીતે બીજા કોઈ નિર્દોષ યુવાનની હત્યા જેવો બનાવ ન બને તે માટે થઈને વહેલી તકે આરોપીને પકડવામાં આવે અને તેને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, કિશન કરોતરાની હત્યા કયા કારણોસર કરવામાં આવેલ છે તેની માહિતી હજુ સુધી સામે આવેલ નથી કેમ કે, આરોપી હજુ પકડાયેલ નથી અને મૃતક યુવાનને આરોપી સાથે કયારે પણ બોલાચાલી કે ઝઘડો થયો હોય તેવો બનાવ બનેલ નથી જેથી આરોપી પકડશે પછી હત્યા કરવા પાછળનું કારણ સામે આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.






Latest News