મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ


SHARE













મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 ની પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધો. 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવ્યું છે આ શાળામાં 42 વિદ્યાર્થીઓ ભણતા હતા જે તમામ પાસ થઈ ગયેલ છે. જેથી કરીને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ શાળાની સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા 55 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ છે તેઓએ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીમાં આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 નું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ 62 વિધાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવેલ છે આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" છે તે સૂત્રને અહીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી દીધેલ છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ અભિનંદન આપેલ છે અને વધુમાં કહ્યું છે કે, વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે.






Latest News