ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ


SHARE













મોરબી: સરસ્વતી ભગવતી વિદ્યાલય તથા દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 માં 100 ટકા પરિણામ

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 ની પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે

મોરબીના બરવાળા ગામે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયે ધો. 12 ની પરીક્ષામાં સામાન્ય પ્રવાહમાં 100 ટકા પરિણામ મેળવ્યું છે આ શાળામાં 42 વિદ્યાર્થીઓ ભણતા હતા જે તમામ પાસ થઈ ગયેલ છે. જેથી કરીને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ શાળાની સ્વ. જેરાજભાઈ કરમશીભાઈ પટેલ દ્વારા 55 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના હાલના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ છે તેઓએ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

મોરબીમાં આવેલ દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલનું ધો. 12 નું પરિણામ 100 ટકા આવ્યું છે અને શાળાના કુલ 62 વિધાર્થીઓમાંથી 22 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવેલ છે આમ "સરકારી શાળાઓ શ્રેષ્ઠ શાળાઓ" છે તે સૂત્રને અહીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાર્થક કરી દીધેલ છે. જેથી શાળાના તમામ વિદ્યાર્થીઓને અને સ્ટાફને શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ અભિનંદન આપેલ છે અને વધુમાં કહ્યું છે કે, વર્ષ દરમિયાન સ્ટાફની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની નિરંતર વાંચન અને પેપર લખવાની પ્રેક્ટિસથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે.






Latest News