મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓની નિયામિત હાજરી
મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત
SHARE
મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ચોમાસા પહેલા સાફ કરવા સામાજીક કાર્યકરોની રજૂઆત
મોરબીના લોકોને ઊભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપવામાં આવે અને ચોમાસા પહેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે મોરબીમાં વરસાદી પાણી ભરાઈ નહીં અને લોકોને હેરાન ન થવું પડે તે માટે ચોમાસા પહેલા જ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા, નદી, નાલા અને ગટરો સાફ કરવામાં આવે તે જરૂરી છે અને કેટલીક જગ્યાએ ખુલ્લી ગટર હોય તો તેને બંધ કરવામાં આવે અને વોંકળા ઉપર કરવામાં આવેલ દબાણ દુર કરવામાં આવે તે જરૂરી છે મોરબી શહેરમાં વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યા છે જેનુ નીરાકરણ આજ સુધી આવ્યું નથી આજની તારીખે પણ મોરબીના રવાપર રોડ, શનાળા રોડ, વાવડી રોડ સહિતના વિસ્તારોમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર ઉભરાતી હોય છે જેથી લોકોને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. અને મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે. ત્યારે મોરબીના લોકો કરોડો રૂપિયાનો ટેક્ષ ભરે છે તેની સામે તેઓને ચોમાસામાં હેરાન થવું ન પડે અને ઉભરાતી ગટરની પીડામાંથી મુક્તિ આપીને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, મોરબીમાં વર્ષો જૂના વરસાદી પાણીના નિકાલ માટે 11 જેટલા વોંકળા આવેલ છે અને તેના ઉપર મોટા પ્રમાણમાં દબાણ થયેલ છે. જે દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.