મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે


SHARE













માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે

માળિયા (મી)ના ખાખરેચી ગામે આગામી તારીખ 15 મેના રોજ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ પધરામણી કરવાના છે જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેઓનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવશે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

માળિયા (મી)ના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કર્યો હતો અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે આવી રહ્યા છે જેથી ખાખરેચી સંઘ, ગામ તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું અને સ્વાગત આગામી તા 15/5 ને સવારે 8-30 કલાકે કરવામાં આવશે. અને ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. જેમાં ખાખરેચી ગામના ભાઈઓ અને બહેનો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News