મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે


SHARE













માળિયા (મી)ના ખાખરેચી ગામે પુર્ણકિયા શ્રીજી મા.સાહેબની પધરામણી થશે

માળિયા (મી)ના ખાખરેચી ગામે આગામી તારીખ 15 મેના રોજ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ પધરામણી કરવાના છે જેને લઈને ખાખરેચી ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તેઓનું ભવ્ય સ્વાગત ગામમાં કરવામાં આવશે તેના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.

માળિયા (મી)ના ખાખરેચી ગામના રાજપુત સમાજના દીકરીબા છાયાબા બાબુભા રાઠોડે 6 વર્ષ પહેલા ચેન્નઈમાં પ.પુ. આચાર્ય તીર્થભદ્દ સુરીશ્વર મહારાજ સાહેબ પાસેથી દિક્ષા અંગીકાર કર્યો હતો અને તેઓ પુર્ણકિયા શ્રીજી મા. સાહેબ બન્યા હતા. ત્યારે દિક્ષા અંગીકાર કર્યા બાદ 6 વર્ષ પછી તેઓ પોતાના સાંસારિક વતન ખાખરેચી ગામે આવી રહ્યા છે જેથી ખાખરેચી સંઘ, ગામ તેમજ રાઠોડ પરિવારના લોકો દ્વારા તેમનું ભવ્ય સામૈયું અને સ્વાગત આગામી તા 15/5 ને સવારે 8-30 કલાકે કરવામાં આવશે. અને ખાખરેચી ગામે આવેલ પાંજરાપોળ બાજુથી સામૈયું શરૂ કરવામાં આવશે. જેમાં ખાખરેચી ગામના ભાઈઓ અને બહેનો સહિતના લોકોને આવવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News