મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન


SHARE













મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન ​​​​​​

મોરબીમાં આજે ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે પાંચ મકાનો અને એક ઓરડીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

દર બુધવારે મોરબીના કોઈ એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે વર્ષો જૂના મકાનો હતા તે મકાનમાં રહેતા લોકો પાસે તેના જરૂરી કોઈ કાગળ કે લખાણ હતું નહીં જેથી કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જૂના તેમજ જર્જરિત મકાનો હોવાના કારણે તેને તોડવા માટેની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.

આજે પાંચ જેટલા મકાનો, એક ઓરડી તથા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા તે તમામે તમામ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે જ્યારે સ્થળ ઉપર રહેતા લોકોના કહેવા મુજબ રાજાશાહી વખતમાં ત્યાં સૂરજ કુંવરબાનો વિસામો હતો અને ત્યાં રહેતા લોકોના દાદા ત્યાં પગી તરીકે રહેતા હતા ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે જોકે હાલમાં સ્થળ ઉપર હેતા લોકો પાસે તે અંગેનો કોઈપણ પ્રકારનો આધાર પુરાવો ન હોવાના કારણે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા  તમામ દબાણ તોડી પાડવામાં આવેલ છે.






Latest News