ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન


SHARE













મોરબી મહાપાલિકાની ટીમે રાજાશાહી સમયના વિસામો, ચાર મકાન, એક ઓરડી અને બાથરૂમોનું કર્યું ડિમોલેશન ​​​​​​

મોરબીમાં આજે ખાખરેચી દરવાજા પાસે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે પાંચ મકાનો અને એક ઓરડીને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

દર બુધવારે મોરબીના કોઈ એક વિસ્તારની અંદર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીમાં ખાખરેચી દરવાજા પાસે વર્ષો જૂના મકાનો હતા તે મકાનમાં રહેતા લોકો પાસે તેના જરૂરી કોઈ કાગળ કે લખાણ હતું નહીં જેથી કરીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા ત્યાં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને જૂના તેમજ જર્જરિત મકાનો હોવાના કારણે તેને તોડવા માટેની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓને કર્મચારીઓ ત્યાં હાજર રહ્યા હતા.

આજે પાંચ જેટલા મકાનો, એક ઓરડી તથા બાથરૂમ બનાવવામાં આવ્યા હતા તે તમામે તમામ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે જ્યારે સ્થળ ઉપર રહેતા લોકોના કહેવા મુજબ રાજાશાહી વખતમાં ત્યાં સૂરજ કુંવરબાનો વિસામો હતો અને ત્યાં રહેતા લોકોના દાદા ત્યાં પગી તરીકે રહેતા હતા ત્યારથી તેનો પરિવાર ત્યાં રહે છે જોકે હાલમાં સ્થળ ઉપર હેતા લોકો પાસે તે અંગેનો કોઈપણ પ્રકારનો આધાર પુરાવો ન હોવાના કારણે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા  તમામ દબાણ તોડી પાડવામાં આવેલ છે.






Latest News