ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે ત્રિ-દિવાસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું યોજાશે


SHARE













માળિયા (મી)ના મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે ત્રિ-દિવાસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું યોજાશે

માળિયા (મી) તાલુકાનાં મોટા દહીંસરા ગામે આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે સમસ્ત જાડેજા પરિવાર દ્વારા ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. 15 થી 17 સુધી ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોટા દહીંસરા ગામે મોમાઈ માતાજીનાં મંદિરે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.15 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં હેશુદ્ધિ, ગણપતિ સ્થાપના, માતાજીની શોભાયાત્રા યોજાશે ત્યાર બાદ બપોરે 3 થી 5 સુધીમાં પ્રતિષ્ઠા યજ્ઞ, મંદિરનો વાસ્તુ યજ્ઞ યોજાશે ત્યાર બાદ બીજા દિવસે તા 16 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં જળયાત્રા, મંડપ પ્રવેશ, કુળદેવી તથા મૂર્તિના ન્યાસ-ધ્યાન, કુટિર હોમ અને બપોરે 3 થી 5 સુધીમાં પ્રતિષ્ઠા યજ્ઞ, તીર્થ જલ અમૃતાભિષેક અને તા. 17 ના રોજ સવારે 9 થી 12 સુધીમાં કુળદેવી રાોપચાપૂજન, નવચંડી યજ્ઞ, ગ્રહ યજ્ઞ તથા સ્થાપિત દેવ યજ્ઞ, પ્રાણપ્રતિષ્ઠા અભિજીત હૂર્ત, મંદિરનું ઈડુ ચડાવવાની વિધિ, ધ્વજા રોહણ અને સાંજે 4 વાગ્યે પ્રાણપ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થશે અને ત્યાર બાદ મહાઆરતી અને સાંજે 6:00 વાગ્યે સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા સમાજ વાડી વિવેકાનંદનગર મોટા દહીસરા ખાતે મહાપ્રસાદ યોજાશે. જેનો લાભ લેવા માટે સમસ્ત જાડેજા પરિવાર વતી જયદીપ કંપની વાળા જયુભા ઉદયસિંહ જાડેજા અને દિલુભા ઉદયસિંહ જાડેજા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News