માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે


SHARE

















મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ પર આવેલ ધકકાવાળી મેલડી  માતાજી મંદિરના શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આઠમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાલે તા. 20 ને મંગળવારે નવલખી રોડે આવેલ શ્રી બહુચર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે 

કાલે જે સમૂહલગ્ન યોજાવાના છે તેમાં મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), મહંત દામજી ભગત (નકલંક મંદિર) સહિતના હાજર રહેવાના છે અને 21 દીકરીઓ સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાશે અને આ દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ મળીને 97 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. કાલે મંડપ મુહૂર્ત બપોરે 3:00 વાગ્યે, જાન આગમન 4:00 વાગ્યે, ભોજન સમારંભ સાંજે 7:00 વાગ્યે અને હસ્ત મેળાપ 7:45 વાગ્યે રાખવામા આવેલ છે અને સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઇ પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News