ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે


SHARE













મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિ દ્વારા કાલે આઠમા સમૂહલગ્ન યોજાશે

મોરબીના નવલખી રોડ પર આવેલ ધકકાવાળી મેલડી  માતાજી મંદિરના શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આઠમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કાલે તા. 20 ને મંગળવારે નવલખી રોડે આવેલ શ્રી બહુચર પાર્ટી પ્લોટ ખાતે રાખવામા આવેલ છે 

કાલે જે સમૂહલગ્ન યોજાવાના છે તેમાં મહંત ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), મહંત દામજી ભગત (નકલંક મંદિર) સહિતના હાજર રહેવાના છે અને 21 દીકરીઓ સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાશે અને આ દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત કુલ મળીને 97 ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. કાલે મંડપ મુહૂર્ત બપોરે 3:00 વાગ્યે, જાન આગમન 4:00 વાગ્યે, ભોજન સમારંભ સાંજે 7:00 વાગ્યે અને હસ્ત મેળાપ 7:45 વાગ્યે રાખવામા આવેલ છે અને સમૂહલગ્નની વિધિ શાસ્ત્રી હિરેનભાઇ પંડ્યા દ્વારા કરાવવામાં આવશે. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઇ જાની, મંત્રી ધીરુભા જાડેજા, ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા, ભાવેશભાઈ મહેતા સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News