મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાફલો મોરબીમાં: 602 જમીન કૌભાંડમાં મૂળ માથાઓ સુધી પહોચવા તપાસનો ધમધમાટ શરૂ


SHARE











સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાફલો મોરબીમાં: 602 જમીન કૌભાંડમાં મૂળ માથાઓ સુધી પહોચવા તપાસનો ધમધમાટ શરૂ

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 ની ખેડૂતની માલિકીની જમીનને બહાર બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બારોબાર વેચી નાખવામાં આવી હતી જો કે, આ કૌભાંડની ખેડૂતને  સમયસર જાણ થઈ ગયેલ હતી જેથી જમીનના મૂળ માલિકે ફરિયાદ કરી હતી તે ગુનાની તપાસ હાલમાં સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવી છે અને આજે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી સહિતનો કાપલો મોરબી પહોંચ્યો હતો અને ભોગ બનેલ ખેડૂત ખાતેદાર પાસેથી વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે

છેલ્લા ઘણા મહિનાથી મોરબીમાં વજેપર ગામના સર્વે નંબર 602 વાળી જમીન ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે, બેચર ડુંગર નકુમની માલિકીની જમીન કે જેનો કબજો આજની તારીખે પણ તેના પરિવારજનો પાસે છે તે જમીને બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને બોગસ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને જમીનમાં શાંતાબેન પરમાર નામની મહિલાની વારસાઈ એન્ટ્રી કરવામાં આવી હતી જે અંગેની મૂળ માલિકને જાણ થતા તેમણે મોરબીથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી હતી.

ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા તરઘરી ગામના સરપંચ સાગર આંબારામ ફૂલતરિયાને કરોડો રૂપિયાની જમીન નજીવી રકમમાં વેચી નાખી હતી તે બંનેની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી તેવામાં ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી જેથી તેઓ આજે મોરબી આવ્યા હતા અને ભોગ બનેલા ખેડૂતના પરિવારજનની મુલાકાત કરી તેમની પાસેથી વિગતો મેળવીને ગુનાની તપાસ શરૂ કરે છે

આ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે શાંતાબેન પરમાર નામની મહિલાનો બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવ્યો હતો અને તેના આધારે બેચર ડુંગર નકુમના નામની જે જમીન હતી તેમાં તેને વારસદાર તરીકે શાંતાબેન પરમારનું નામ ઉમેરાયું હતું અને તેમાં અધિકારીઓ સહિતનાઓની સંડોવણી હોય જે તે સમયે ભોગ બનેલા ખેડૂત ખાતેદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17 શખ્સો સામે ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ પોલીસે માત્ર મહિલા સહિત બે જ વ્યક્તિની સામે નામ જોગ ફરિયાદ લીધેલ હતી

જેથી કલેકટરને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓની હાજરીમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ફરિયાદ સામે અસંતોષ ફરિયાદી વ્યક્ત કર્યો હતો જેથી કલેક્ટરની ખાતરી બાદ ફરિયાદી 17 લોકોના નામ જોગ પોતાનું લેખિત નિવેદન આપ્યું હતું. જેથી આ કેસની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા હતા અને આ કૌભાંડના મૂળ માથાઓ સુધી પહોંચવા માટે એક પછી એક કડી ગોઠવાઈ રહી હતી તેવામાં ચકચારી જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપવામાં આવેલ છે જેથી આગામી સમયમાં તપાસમાં ચોંકાવનાર માહિતી સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી

મોરબીમાં જમીન કૌભાંડ કરીને ખેડૂતની માલિકીની જમીન બારોબાર વેચી નાખવાનું જે કાવતરું કરવામાં આવ્યું હતું તે કાવતરા ઉપર તો કલેક્ટરે છેલ્લે કરેલા હુકમથી પાણી ફરી વળ્યું છે કેમ કે, મોરબીના પ્રાંત અધિકારી દ્વારા પોતાની સત્તાથી ઉપર જઈને જે વારસાઈ નોંધને પ્રમાણિત કરવામાં આવી હતી તે વારસાઈ નોંધને રદ કરવા માટેનો કલેક્ટર દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે જોકે આ જમીન પચાવી પાડવા માટે જે કૌભાંડ કરાયું હતું તેમાં સંડોવાયેલા શખ્સોની સામે આકરા પગલાં લેવાઆ આવે તેવું ભોગ બનેલ ખેડૂત અને તેના પરિવારજનો ઈચ્છી રહ્યા છે






Latest News